ગતરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બોર્ડ મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે ઉદ્યોગપતિ અને સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વરના ટ્રસ્ટી તેમજ પૂર્વ પ્રમુખ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજકોટના જેતપુરના વતની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકાર મનસુખ હરિભાઈ વેકરિયાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી જેઓએ આજરોજ પૂજા વિધિ સાથે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ચેરમેન તરીકે ચાર્જ સાંભળ્યો હતો જેઓએ એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરી,એન.કે.નાવડીયા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ,ચંદ્રેશ દેવાણી, પ્રબોધ પટેલ તેમજ હરેશ પટેલ,એ.આઈ.એના ઉપ પ્રમુખ હિંમત સેલડીયા અને નોટીફાઇડના માજી ચેરમેન અશોક ચોવટીયાએ અભિનંદન પાઠવ્યા હતા