- ગ્રામ પંચાયત અને બિલ્ડરે હાથ ખંખેરી લેતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપ
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટીમાં ગટરની સમસ્યાને પગલે સ્થાનિક રહીશો હેરાન પરેશાન બન્યા છે જેને લઈ આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આત્મીય સોસાયટીમાં આવેલ છે સોસાયટીના સ્થાનિકો ગટરની સમસ્યાને લઈ હાલાકી વેઠી રહ્યાં છે આ અંગે બિલ્ડર અને ગ્રામ પંચાયત ખાતે અનેકવાર રજુઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકારણ નહિ આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે લોકોની પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયેલ ગ્રામ પંચાયત અને બિલ્ડર સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.