Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લીમ સમાજના વિકાસ ઝંખતા લોકોને સાથે લઈને કામ કરવાની અપીલ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠકમાં પણ પ્રધાનમંત્રીએ કર્યોં હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઍટલે સુઘી જણાવ્યુ હતું કે વિકાસને ઝંખતા મુસ્લીમ સમાજને ભાજપની વિચારસરણી સાથે જોડવા જોઈએ ભલે તેઓ ચૂંટણીમા મત આપે કે ન આપે..આ બાબત ખૂબ સૂચક અને રાજકીય દ્રષ્ટીએ મહત્વની છે. હિંદી ભાષામાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ : पसमांदा’ मुसलमान .. શબ્દનો ઉપયોગ પોતાના વિચારો વ્યક્ત કરવા કર્યોં હતો.આ શબ્દ નવો નથી.પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દનો માર્મિક ઉપયોગ કર્યાં બાદ હવે આ શબ્દનો અર્થ શાબ્દીક, સામાજિક અને ઇતિહાસના સંદર્ભમા કરવામાં આવી રહ્યો છે. જે સૂચક છે. તેમજ આવનાર વિધાન સભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મુસ્લીમ સમાજ પ્રત્યે દ્રષ્ટિકોણ કેવો રહેશે તેનો સંકેત આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠકમાં સ્પષ્ટ કર્યુ કે ચૂટણી મા મતની ચિંતા કર્યાં વીના કાર્યકરોએ સંવેદનસીલ બની સમાજના તમામ વર્ગો સાથે તાલમેલ અને સંબંધ વધારવો જોઈએ . આજ દ્રષ્ટિકોણ સાથે વડાપ્રધાને.. बोहरा, पसमांदा मुसलमान.. ની વાત કરી જે હવે રાજકીય ચર્ચા અને વિચારણાનો વિષય બની ગયો છે ….
વધુ વિગતે જોઈએ તો पसमांदा …. ફારસી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે જે લોકો પાછળ છૂટી ગયેલા લોકોનો સમુદાય.. વધૂ વિગતે જોતા ભાજપનુ સૂત્ર સોનો સાથ સૌનો વિકાસ આ વિકાસ થી વંચિત રહેલ મુસ્લીમ સમાજ અને અન્ય સમાજનાં લોકોને સાથે લઈને ચાલવા કાર્યકરોને વડાપ્રધાને જણાવ્યું. હતું.
હજી વિગતે જોતાં જે મુસ્લીમ લોકોનો વિકાસ નથી થયો તેના માટે વડાપ્રધાને..पसमांदा… શબ્દનો ઉપયોગ કર્યો હતો.આ શબ્દનો ઉપયોગ પહેલા ચોક્કસ વર્ગ માટે કરવામાં આવ્યો હતો. પરંતું વર્ષો પછી હવે આ શબ્દનો ઉપયોગ મુસ્લીમ સમાજનાં વિકાસથી વંચિત સમુદાય માટે કરાઇ રહ્યો છે




