ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે દીપડાના બચ્ચાંને દુધ પાયુ હતું જેનો વિડિયો વાયરલ થયો હતો. મુખ્ય મંત્રી યોગી વિવિઘ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા રહે છે. તાજેતરમાં તા.5 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલા શહીદ અશફાક ઉલ્લાખાં ઝુની મુલાકાત મુખ્ય મંત્રી યોગીએ લીઘી હતી. આ મુલાકાત દરમિયાન ચંડી અને ભવાની નામના દીપડાના બચ્ચા અંગે ઝુના તબીબ ડો. યોગેશ પ્રતાપ સિંહ જોડે ચર્ચા વિચારણા કરી હતી. તબીબે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી યોગીએ કેટ મિલ્ક રીફ્રેશર દુધ દીપડાના બચ્ચાને પાયુ હતુ.આ દુધ કેવું હોય છે તે વિશે ડૉ યોગેશે જણાવ્યુ હતું કે ગાય કે ભેંસ નુ દુધ દીપડા જેવા પ્રાણીઓને આપી ન શકાય તેથી ખાસ આવા પ્રાણીઓના બચ્ચાઓ માટે વિવિઘ પોષણ યુક્ત તત્વો ધરાવતું દુધ તૈયાર કરવામાં આવે છે જેને કેટ મિલ્ક રીફ્રેશર તરીકે ઓળખાય છે..
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દીપડાના બચ્ચાં ને દુધ પાયું….
RELATED ARTICLES