Home Bharuch ઝઘડિયાના અવિધા ગામે નર્મદામાં ન્હાવા ગયેલા યુવાનનું મગરના હુમલાથી મોત…

ઝઘડિયાના અવિધા ગામે નર્મદામાં ન્હાવા ગયેલા યુવાનનું મગરના હુમલાથી મોત…

0

Published by : Rana Kajal

  • મગર યુવાનને પગમાંથી પકડી નદીમાં ખેંચી ગયો-ફાયર ફાયટરોની જહેમતથી મૃતદેહ મળ્યો

ઝઘડિયાના અવિધા ગામે નર્મદામાં નહાવા ગયેલ યુવાનને મગર ખેંચી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં લાંબા સમયથી મગરોનો ઉપદ્રવ જોવા મળે છે. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદામાં નહાવા પડેલ કે માછીમારી કરવા ગયેલ ઘણા ઇસમો ભુતકાળમાં મગરના હુમલાનો ભોગ બન્યા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતો દિપક રામજીભાઇ વસાવા નામનો 39 વર્ષીય ઇસમ બપોરના સમયે નજીકમાં નર્મદા કિનારે ઘાસચારો લેવા ગયો હતો.ત્યારબાદ આ ઇસમ ગરમીને કારણે નર્મદા નદીમાં નહાવા ગયો હતો. એકાએક આવી ચઢેલ એક મગરે આ ઇસમને પગમાંથી પકડ્યો હતો. મગરની પકડમાંથી છુટવા દિપકે ભારે મથામણ કરી છતાં તે મગરના પંજામાંથી મુક્ત થઇ શક્યો નહિ. મગર આ ઇસમને નદીના ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના આવી ગયું હતુ અને ફાયર ફાયટરોની ટીમ બોલાવાઇ હતી. નદીમાં શોધખોળ કરીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version