Published by : Anu Shukla
- 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી સ્થાનાંતરિત કરવાના થયા છે હસ્તાક્ષર
- જેમાં સાત નર અને પાંચ માદા ચિત્તા 15 ફેબ્રુઆરી સુધીમાં કુનો પહોંચવાની અપેક્ષા
ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી સ્થાનાંતરિત કરવાના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાનુ પ્રતિનિધિ મંડળ કુનો નેશનલ પાર્કથી સંતુષ્ટ છે. પર્યાવરણ મંત્રાલયના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી હતીકે આ કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. જેમાં સાત નર અને પાંચ માદા ચિત્તા 15 ફેબ્રુઆરી સુધીમાં કુનો પહોંચવાની અપેક્ષા છે. દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તા છ મહિનાથી વધુ સમયથી આઈસોલેશનમાં છે. તેઓ આ મહિને ક્યુનિયો પહોંચશે. પરંતુ દક્ષિણ આફ્રિકાથી આ ચિત્તાને લાવવાની પ્રક્રિયાઓને કારણે તેમના સ્થાનાંતરણમાં વિલંબ થતો જોવા મળે છે.
કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા
ગયા વર્ષે નવેમ્બર 2022માં આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ માદા અને ત્રણ નર હતા. તેમની ઉંમર ચારથી છ વર્ષની છે. વડા પ્રધાન મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓને જંગલમાં ખુલ્લા મૂકી દીધા છે. હવે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા આવ્યા બાદ તેમને પણ આઈસોલેશનમાં રાખ્યા બાદ ખુલ્લા મુકવામાં આવશે.