Published by : Rana Kajal
ભરૂચ જિલ્લાના 520 સહીત દક્ષિણ ગુજરાતના 1886 હજજ મુસાફરો છતાં સુરત થી સીધી ફ્લાઇટ નહીં…દક્ષિણ ગુજરાતના હજજ યાત્રીઓને અન્યાય થઇ રહ્યો છે. દ. ગુ. ના 1886 હજયાત્રી હોવા છતાં સુરતથી હજજ યાત્રા અંગે સીધી ફ્લાઇટની સુવિધા નથી. જ્યારે ઓછા હજજ યાત્રીઓ હોવા છતાં ઔરંગાબાદ અને નાગપુરથી હજજ યાત્રા માટે સીધી હવાઈ સુવિધા છે તેથી ભરૂચ જિલ્લાનાં 520 સહીત દ. ગુ. ના 1886 હજજ યાત્રીઓ સુરતથી સીધી ફ્લાઇટની માંગ કરી રહ્યા છે. અત્રે નોંધવું રહ્યું કે માત્ર આજ વર્ષે નહી પરંતુ વીતેલા વર્ષો મા પણ હજજ યાત્રીઓએ સુરતથી સીધી ફ્લાઇટ નીમાંગણી કરી હતી પરંતું આ માગણી સંતોષાઈ ન હતી.




