Home News Update Nation Update દેશ અને રાજ્યમાં વધતા જતા હૃદય રોગના હુમલા… કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજકોટની...

દેશ અને રાજ્યમાં વધતા જતા હૃદય રોગના હુમલા… કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજકોટની લીઘી મુલાકાત…

0

Published by : Rana Kajal

દેશ અને ગુજરાત રાજયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે તેમાં પણ રાજયના રાજકોટમાં હાર્ટએટેક ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ રાજકોટની મુલાકાત લીધી હતી…રાજ્યમાં દેશમાં કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકના ચિંતાજનક રીતે વધતા જતા કેસો કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના પછી હાર્ટ એટેકના વધેલા બનાવોને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે. કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસો ઉપર ICMR દ્વારા રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. તેનો રિસર્ચ રિપોર્ટ આવ્યા પછી આગળ નિર્ણય કરવામાં આવશે.રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ સ્વીકાર્યું હતું કે, યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. કોરોના પછી હાર્ટ એટેકના કેસો વધી રહૃાાં છે. આ અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા આઈસીએમઆરને રિસર્ચ કરવાનું સોંપ્યું છે. આઈસીએમઆર છેલ્લા ચાર મહિનાથી આ અંગેનો ડિટેઈલ સ્ટડી કરી રહી છે. ભારત પાસે કોવિન સોટવેરમાં વેક્સિન દૃરેક વ્યક્તિના ડેટા ઉપલબ્ધ છે. એ ડેટાનું એનાલિસિસ કરીને આઈસીએમઆર રિપોર્ટ આપશે જેના આધારે આગળ નિર્ણય કરી શકાશે. એમ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version