Home News Update Nation Update નર્મદા નદીનુ પાણી પાણી નહી પરંતુ અમૃત… નર્મદાના નીરના શુધ્ધિકરણ અંગે ...

નર્મદા નદીનુ પાણી પાણી નહી પરંતુ અમૃત… નર્મદાના નીરના શુધ્ધિકરણ અંગે સરળ ફોર્મ્યુલા…

0

ગૂજરાતની ગંગા સમાન નર્મદા નદીનું પાણી અમૃત છે, તે સાબિત કરવા દાદાગુરુ 26 મહિનાથી ફક્ત નર્મદાના નીર પીવે છે, હાલ 3200 કિમીની પરિક્રમા કરી રહ્યા છે ગત આઠમી નવેમ્બરે ઓમકારેશ્વરથી શરૂ થયેલી પરિક્રમા ભરૂચના સંગમ અમરકંટક થઇ ફરી ઓમકારેશ્વરમાં પૂર્ણ થશે

મા નર્મદા સેવા પરિક્રમા ગુજરાતમાં

નર્મદાના કિનારે એવો કોઈ ઘાટ નથી જ્યાં આવી ગંદકી ન હોય, નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે. ગયા અઠવાડિયે ગુજરાતમાં એક અનોખી મા નર્મદા સેવા પરિક્રમાનો પ્રવેશ થયો  આ યાત્રાની સૌથી મહત્ત્વની બાબત મા નર્મદા વિશે દાદા ગુરુ (સંત સમર્થ ગુરુ)નો અનોખો સંદેશ છે.

નર્મદા માતાનું નીર નીર નથી પરંતું સંજીવની સમાન છે દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે, ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા. તેઓ મા નર્મદાના કિનારાને મઠ અને તેની આસપાસનાં વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે. મા નર્મદાનાં પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને નર્મદાના પાણી પર જ જીવી રહ્યા છે. ઈન્દોરથી થોડે દૂર જ નર્મદા વહે છે. આ ગામના ઈન્દ્રેશ્વર મંદિરે  હૉલમાં એક તરફ હવન અને બીજી તરફ કન્યા પૂજન થતું હતું. જ્યાં દાદા ગુરુનાં ભકતોને દર્શન થયાં. દાદા ગુરૂ બે વર્ષ અને બે મહિના કરતાં પણ વધુ સમયથી  માત્ર મા નર્મદાનું પાણી પી રહ્યાં છે તેમ છતાં દાદા ગુરૂ સ્વસ્થ છે જે અંગે તેમણે જણાવ્યુ કે આ નર્મદા માતાના પાણીની શક્તિ છે. જો આપણે પ્રકૃતિની નજીક રહીશું તો તે આપમેળે જ આપણને બચાવશે.’. આપણે પાણી, માટી, પહાડ અને વૃક્ષની પૂજા અમસ્તા જ નથી કરતા. આ આપણી સંસ્કૃતિ છે, ભગવાન છે. એક તરફ આપણે મા નર્મદાની પરિક્રમા કરીએ છીએ અને બીજી તરફ પ્લાસ્ટિકનો કચરો તેના કિનારે જ ફેંકીએ છીએ. અમરકંટકથી અંકલેશ્વર સુધી નર્મદા કિનારે એવો કોઈ ઘાટ નથી કે જ્યાં આવી ગંદકી ન હોય તેમણે જણાવ્યુ કે નર્મદા માતાની પરિક્રમા કરીને જ સંદેશ આપવા બહાર આવ્યો છું. હું માતાના પાણીની શક્તિનું જીવંત ઉદાહરણ છું.’ મા નર્મદાનો આ પરિક્રમા માર્ગ પોતે જ જીવન જીવવાની એક કુદરતી કળા છે. તે આધ્યાત્મિક અભ્યાસ અને જીવનચક્રને ઓળખવાનો માર્ગ છે. તે સામાન્ય માણસને મહાપુરુષ અને નરને નારાયણ બનાવે છે નર્મદા નદીનાં શુધ્ધિકરણ અંગે દાદાગુરૂ એ જણાવ્યુ કે આપણે નર્મદાની પૂજા માટે દર વર્ષે લાખો નારિયેળ ચઢાવીએ છીએ. એક નારિયેળની કિંમત રૂ. 25 છે. શું આ નારિયેળ એક છોડ ન હોઈ શકે? બીજું, દર વર્ષે અઢી લાખથી વધુ ભક્તો મા નર્મદાની પરિક્રમા કરે છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ પણ વાવે તો કેટલા વૃક્ષો બનશે? ત્રીજું, મા નર્મદાના કિનારે સેંકડો મંદિરો, મઠો અને આશ્રમો છે. જો અહીંથી પ્રસાદી તરીકે વૃક્ષો અપાય, તો કોણ આ પ્રસાદી વધારવા નહીં માંગે?’ એમ તેમણે જણાવ્યું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version