Home Bharuch ભરૂચ આપે ગાંધીનગરમાં નિવૃત સૈનિકોના પરિવાર ઉપર લાઠીચાર્જના વિરોધમાં આપ્યું આવેદન

ભરૂચ આપે ગાંધીનગરમાં નિવૃત સૈનિકોના પરિવાર ઉપર લાઠીચાર્જના વિરોધમાં આપ્યું આવેદન

0

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં 14 માંગણીઓને લઈ દેખાવો કરતા માજી સૈનિકો ઉપર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આવેદન આપ્યું હતું.

ગાંધીનગરમાં 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા. જેમાં લાઠીચાર્જમાં કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું. જને લઈ બુધવારે ભરૂચ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન તંત્રને આપ્યું હતું.

ભરૂચ આપે આક્ષેપ સાથે માંગણી કરી હતી કે, ભાજપ સરકારના ઈશારે માજી સૈનિકો ઉપર લાઠીચાર્જ કરાયો હતો. જે દુઃખદ ઘટના છે. જેમાં શહીદ થયેલા કાનજીભાઈના પરિવારને ન્યાય આપી રૂપિયા એક કરોડનું વળતર ચૂકવાય. સાથે જ માજી સૈનિકોની તમામ 14 માંગો સ્વીકારી લેવાઈ.

હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા આ ઘટનાની તપાસ કરાવાય. દેશના જવાનો અને શહીદોના પરિવારોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે તેને આપે દુઃખદ ઘટના ગણાવી હતી. આવેદન આપવામાં જિલ્લા પ્રમુખ ઉર્વી કાનાની, આકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version