- ગમે ત્યાં કચરો ફેંકનારા રહીશો પાસેથી રૂ 75 હજાર કરતાં વધુ દંડ વસુલ કરવામાં આવ્યો…
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા નગરનાં રહીશોને ગમે ત્યાં કચરાનો નિકાલ ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથેજ એમ પણ જણાવવામાં આવ્યું છે કે ડોર ટુ ડોર ની ગાડીને નિયમીત રીતે કચરો આપી દેવો જોઈએ..
ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી દશરથ સિંહ ગોહીલે ઍક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગમે ત્યા કચરાનો નિકાલ કરવામાં આવે છે. ભરૂચના રહીશો દ્વારા ગમે ત્યાં સૂકા અને ભીના કચરાનો નિકાલ કરવામાં આવતો હોય નગરમાં ગંદકીની સમસ્યા ઉભી થાય છે. નગરપાલીકા દ્વારા ગમે ત્યાં કચરો ફેંકનાર પાસેથી છેલ્લાં ઍક મહિનાથી દંડ વસુલ કરવામાં આવે છે. અત્યાર સુધી રૂ 75750 દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેથી રહીશોએ રોજે રોજ નો લીલો અને સૂકો કચરો નિયમીત રીતે ડોર ટુ ડોર ના વાહનને આપવો. તેમજ નગર પાલીકા દ્વારા”આપણું શહેર, સ્વચ્છ શહેર” યોજનાના અમલ માટે શરૂ કરેલ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ના અભિયાન અંગે શહેરી જનોને કોઇ ફરીયાદ હોય તો મો. ન.9574007002 પર મેસેજ કરવા વિનંતી કરવામાં આવી છે.