Published by : Rana Kajal
આપ પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહયો કે આપ પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબની વિધાનસભાની ચુંટણી અગાઉ તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરી દેવામાં આવી હતી. આજ થીયરી ગુજરાતમાં પણ અપનાવાય અને આપ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે તેવી સંભાવના જણાઈ રહી છે.
ગુજરાતના રાજકારણમાં હાલ મોટી ઉથલપાથલો જોવા મળી રહી છે. જેમકે રાજકીય સમાચાર અનુસાર ભાવનગરના રાજવી વંશજ યુવરાજ જયવીરસિંહ ગોહિલ ખૂબ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થઇ શકે છે. સુરતના યુવાન પાટીદાર ચહેરા અને પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આપમાં જોડાય તેવી પણ સંભાવના છે. હાર્દિક પટેલના સાથી રહેલા કથિરીયા હવે આપમાં જોડાઇ રહ્યા હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.