લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે. એવામાં શો ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
- લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે
- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનની એન્ટ્રી થવા જઈ રહી છે
- દયા બેન તરીકે દિશા વાકાણી નહીં પણ આ અભિનેત્રી એન્ટ્રી કરશે
ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે. એવામાં શો ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
જો કે આ પેલા પણ દયાબેનના કિરદાર માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા પણ બધા નામ અફવા બનીને રહી ગયા હતા. હાલ કાજલ પીસલનું નામ સામે આવ્યું છે. જો કે શો ના મેકર્સ કે અભિનેત્રી કોઈ પણ આ વાતને લઈને કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
કાજલ પીસલ વિશે વાત કરી તો કાજલ ‘બડે અચ્છે લગતે હૈ’ ‘નાગીન’ અને ‘સાથ નિભાના સાથીયા’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકી છે. આ પહેલા શો ના પ્રોડ્યુસર આસિત મોદીનું એક નિવેદન બહાર આવ્યું હતું જેમાં એમને કહ્યું હતું કે ‘શો ચાલતો રહેશે, નવા લોકો આવશે અને જશે પણ કિરદાર એ જ રહેશે.’