ગુજરાત રાજ્યમાં લમ્પી વાયરસને પગલે હજારો ગાયોના મોત થયા છે જેને લઇ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેના જણાવ્યા અનુસાર વેટરનરી હેલ્થ ઈમરજન્સી પશુ આરોગ્ય ઈમરજન્સી તાત્કાલિક જાહેર કરવા,લમ્પી વાયરસને ગાયોની મહામારી જાહેર કરવામાં આવે સાથે સાથે ગામેગામ આઇસોલેશન સેન્ટર બનાવવા અને ખર્ચની વ્યવસ્થા સરકાર દ્વારા ઉપાડવામાં આવે તેમજ લમ્પી વાયરસથી પશુનું મૃત્યુ થાય તો પશુ પાલકને પશુ દીઠ ૫૦ હજારનું વળતર આપવા સહીત સાત માંગણીઓ સ્વીકારમાં આવે તેવી માંગ કરવામાં આવી છે.