Published by : Rana Kajal
મધ્યપ્રદેશની હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રેતખનન અંગે ડેપ્યુટી ડાયરેકટરને સંભળાવી દીધું હતું કે તમે તો પટાવાળા બનવાને પણ લાયક નથી સાથે જ એમ પણ જણાવ્યું હતું કે તમે લાંચ લીધા વગર કોઈ કામ કરતા નથી સુધરી જાવ નહીં તો નોકરી ગુમાવશો… મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચ ના ન્યાયાધીશ રોહિત આર્ય તેમના આકરા વલણ અંગે જાણીતા છે. મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં તમામ આદેશ આપી દીધા છે તેમ છતાં માઈનિંગ વિભાગે જરૂરી કાર્યવાહી કેમ કરી નથી તે અંગે યોગ્ય જવાબ ન મળતાં ન્યાયાધીશ ગુસ્સે ભરાયા હતા અને આવી ટકોર કરી હતી.