Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે…

  •  બે દિવસ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં 59 જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યા

સુરત

નરેન્દ્ર મોદીએ સુરત ખાતે હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ-શો કર્યો હતો. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવો અને સુરતના જમણ વિના જાઉં એ કઠિન છે. તેઓએ ઉમેર્યું હતું કે સુરતે ચાર ‘P’નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. વડાપ્રધાન મોદી સંબોધન કરવા ઊભા થતાં જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. સુરતની ધરતી પર મોટા પાયે થયેલા પ્રકલ્પોના લોકાર્પણનો હિસ્સો બનીશ. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે.

ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારું શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. તેમણે સુરતનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. જ્યારે સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે. સુરતમાં ઘોઘાથી હજીરા જવા માટે માત્ર ત્રણથી ચાર કલાકમાં પહોંચી જવાય છે. રો રો ફેરીના કારણે કનેક્ટિવિટી ખૂબ જ ઝડપથી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં વધુ જળમાર્ગના રૂટ શરૂ કરવાની યોજના પર કામ કરીશું. સુરતથી કાશીની સીધી એક ટ્રેન પણ ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ટ્રેન સુરતથી માલ ભરીને કાશી લઈ જશે. જેનો ખૂબ મોટો લાભ સુરતના વેપારીઓને થશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. સુરતને હું અભિનંદન પાઠવું છું. 25 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે. આગામી દિવસોમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. આ ખૂબ મોટી વાત છે.

છેલ્લા બે દાયકામાં સુરત જે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યો છે તે આગળના વર્ષોમાં વધુ ઝડપથી ચાલશે. ડબલ એન્જિનની સરકાર આ વિકાસને કારણે લોકોનો વિશ્વાસ વધે છે. આને કારણે બધાનો જ પ્રયાસ વિકાસ માટે થતો હોય છે. આવા વિકાસ માટે સુરત તેઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

 લોકાર્પણ-ખાતમુહૂર્તના કેટલાક મહત્ત્વના પ્રોજેકટ

  • ડ્રીમ સિટી પ્રોજેક્ટના રૂા.370 કરોડનાં કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • રૂા. 139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાઇવર્સિટી પાર્ક
  • રૂા. 324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણીપુરવઠા યોજનાઓનાં અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહૂર્ત
  • સિવિલ હોસ્પિટલમાં 123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
  • રૂા. 108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • રૂા. 52 લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’નું લોકાર્પણ
  • રૂા. 108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • સ્મિમેરના G-H બ્લોક, મેડિકલ કોલેજના A-B બ્લોક મોટા કરાશે
  • સ્મિમેરમાં રોજ 3500 દર્દી આવે છે, વર્ષે 200 અન્ડર ગ્રેજ્યુએટ અને 123 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય છે, જેથી પાલિકાએ 13.47 કરોડના ખર્ચે G-H બ્લોક અને કોલેજના A-B બ્લોકના વિસ્તૃતીકરણનું ખાતમુહૂર્ત

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે,સુરત)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!