Home News Update Nation Update વડા પ્રધાન મોદી પર વિવિધ આક્ષેપો કરનાર મહારાષ્ટ્રના શરદ પવારે મોદીનું કર્યું...

વડા પ્રધાન મોદી પર વિવિધ આક્ષેપો કરનાર મહારાષ્ટ્રના શરદ પવારે મોદીનું કર્યું સન્માન…મહારાષ્ટ્રં નુ રાજકારણ ગરમાયું…

0

Published By:-Bhavika sasiya

વડાપ્રધાન નરેદ્ર મોદી પર તેજાબી આક્ષેપો કરનાર અને NCP માં ફાટફૂટ પડાવવામા વડાપ્રધાન મોદીનૉ પણ હાથ હોય શકે છે તેવુ જણાવનાર પીઢ રાજકારણી શરદ પવારે પીએમ મોદીનુ લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માન કર્યું હતું આ એવોર્ડ મહારાષ્ટ્રનૉ અને સાથે દેશનો ખુબ પ્રતિસ્થિત એવોર્ડ છે. હાલના સમયના રાજકીય વાતાવરણ મુજબ અને એક બાજુ જયારે વિરોધ પક્ષની એકતા અંગે રાજકીય પ્લેટફોર્મ તૈયાર થઇ ચુક્યુ છે ત્યારે શરદ પવારની મોદીને એવોર્ડ આપવાની ચાલ અંગે કેટલાક રાજકીય પક્ષો શંકાની નજરે જોઈ રહ્યા છે તેથીજ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે આજે તા 1 ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રના પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શરદ પવાર હતા , જેઓએ પીએમનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ભાજપ અને NCP ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર હોવાના કારણે રાજકારણ ગરમાયું છે.અત્રે નોંધવું રહ્યું કે ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ અગાઉથીજ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version