વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવની સામે જમનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખાડામાં અરુણ માવી નામક બે વર્ષનું બાળક રમતા રમતા ખાડામાં પડી ગયુ હતુ. જેને પગલે ફાયર ફાયટરોની ટીમને જાણ કરવામાં આવી હતી. બાળકને ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરોએ સ્થાનિક લોકોના મદદથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યું છે. જેસીબી મશીનથી ખાડાની બાજુમાં અન્ય ખાડો ખોદીને ફાયરના લાશકરોએ તે ખાડામાં ઉતરીને બાળકને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યું છે. બનાવને લઈને લોકટોળાં સ્થળ પર એકત્ર થતા પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચીને રેસક્યુ કામગીરીમાં મદદ કરી હતી. બાળકનું પરિવાર હાલ મંદિરમાં નિર્માણ કાર્ય માટે મજૂરીનું કામ કરી રહ્યું હતું તે પહેલા આ બનાવ બન્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે..
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)