વાલિયા તાલુકામાં ખાબકેલ ભારે વરસાદને પગલે નદી-નાળાઓ છલકાયા છે તાજેતરમાં વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો જોખમી રીતે કીમ નદી ઓળંગી સ્મશાનમાં અંતિમ વિધિ માટે જતા નજરે પડ્યા હતા જે બાદ રાત ભર વરસેલા ભારે વરસાદને પગલે કીમ,ટોકરીમાં ભારે માત્રામાં વરસાદી પાણી વહેતા નજરે પડ્યું છે ત્યારે આજરોજ વાલિયા તાલુકાના પણસોલી ગામથી શીનાડા ગામને જોડતા નાળા ઉપર કોતરના પાણી ફરી વળ્યાં છે.

વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે નાળા ઉપરથી પસાર જોવા મળ્યા હતા પણસોલી ગામથી શીનાડા ગામને જોડતા માર્ગ ઉપર કોતરના પાણી પસાર થાય છે જ્યાં નાળું આવેલું છે જે નાળું દર ચોમાસની સિઝનમાં બંને ગામના લોકો અને ખેડૂતો માટે આફતરૂપ બને છે.

આ નાળા અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા લોકો વરસાદી પાણીમાંથી જીવના જોખમે નાળા પરથી પસાર થવા મજબુર બન્યા છે.