Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchવિજયાદશમીના પર્વની ઉજવણી વચ્ચે ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં ઉછાળો

વિજયાદશમીના પર્વની ઉજવણી વચ્ચે ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં ઉછાળો

  • ફૂલોના ભાવ આસમાને
  • ફૂલના ભાવ સાંભળીને ગ્રાહકો મુજાયા

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી વચ્ચે અંકલેશ્વરના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.

અંકલેશ્વરમાં નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના પર્વ દરમ્યાન ફૂલનો ઉપયોગ વધુ રહેતો હોય છે એમાં પણ આજરોજ વિજયા દશમીનું પર્વ છે ત્યારે ફુલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વરના ફૂલ માર્કેટની વાત કરીએ તો ફુલના ભાવમાં 50થી 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પહેલા 50 રૂ.કિલો વેચાતા ગલગોટાના ફૂલ હાલ 80થી 100રૂપિયે કિલો વેચાય રહ્યા છે તો સફેદ ફૂલનો આજનો ભાવ 900 રૂપિયે કિલો રહ્યો હતો.

દશેરાના દિવસે ભક્તો ભગવાનને ફૂલહાર અર્પણ કરી આરાધના કરતા હોય છે પરંતુ ફુલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા ફુલનો મોટાભાગનો પાક નષ્ટ થઈ ગયો છે.બજારોમાં ફૂલની માંગ વધુ છે પરંતુ આવક ઓછી થતા ફુલના ભાવમાં વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security