Home Ankleshwar અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ સોસાયટીના એક મકાનને બે મહિનામાં બે વાર...

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ સોસાયટીના એક મકાનને બે મહિનામાં બે વાર નિશાન બનાવાયું

0
  • તસ્કરો ચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી જેવામાં અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે મકાન માલિક ઉર્મિલાબેન નિકુંજ વસાવા ગતરોજ પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

તસ્કરો પાછળના દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર આ જ મકાનને નિશાન બનાવતા મકાન માલિકે ચોરીની ઘટનાનાને અંજામ આપનાર તસ્કરની વહેલીતકે અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version