Home Ankleshwar અંકલેશ્વરના પીરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી...

અંકલેશ્વરના પીરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામા આવે તેવી રજૂઆત કરાઇ…

0

Published By : Parul Patel

અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર પીરામણ ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-08-at-2.34.29-PM.mp4

હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય વધતાં લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે અકસ્માતનો પણ ભય રહેલો છે, ઉપરાંત લોકોના ઘરોમા પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે. તેવામાં શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે લોકોને તકલીફ નહીં પડે તે માટે રોડ ઉપર ખાડાઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version