- છેલ્લા 40 દિવસમાં 6 કલાકારે તૈયાર કર્યા
અંકલેશ્વર ONGC કોલોની ખાતે છેલ્લા 40 દિવસમાં 6 કલાકારે આ પૂતળાઓ તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનનું અનેરું આકર્ષણ બનશે. ONGC રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આયોજન કરવામાં આવે છે. રામલીલા અને દશેરાનો મેળો પણ યોજાશે.અંકલેશ્વર ONGC કોલોની ખાતે એક તરફ ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ, બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા અને ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું આયોજન પ્રતિ વર્ષ કરાઈ છે.