Home Administration અંકલેશ્વર અને રાજપીપળા એરસ્ટ્રીપ માટે કામ પ્રગતિમાં…

અંકલેશ્વર અને રાજપીપળા એરસ્ટ્રીપ માટે કામ પ્રગતિમાં…

0

Piblished By : Disha PJB

  • દહેજ હવાઈ પટ્ટી માટે પ્રિ ફિઝિબિલિટી રિપોર્ટની ચકાસણી
  • ઔદ્યોગિક વિસ્તાર અને પ્રવાસન સ્થળને હવાઈ જોડાણ આપવાની રાજ્ય સરકારનું આયોજન

ભરૂચ જિલ્લામાં બે ઔદ્યોગિક વસાહતો અંકલેશ્વર માટે એર સ્ટ્રીપનું કામ ચાલી રહ્યું છે. જ્યારે દહેજમાં હવાઈ પટ્ટી વિકસાવવા શક્યતાઓ ચકસાઈ રહી છે.

રાજ્ય સરકારે 2021 અને 2022 દરમિયાન એરસ્ટ્રીપ્સ વિકસાવવા માટે કુલ રૂ. 93.74 કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં રૂ. 90 કરોડ અને 2022માં રૂ. 3.60 કરોડનો ખર્ચ કર્યો હતો. માંડવી એરસ્ટ્રીપ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે મોરબી એરસ્ટ્રીપ માટે બાઉન્ડ્રી વોલનું બાંધકામ ચાલુ છે.

સરકાર હાલમાં અંબાજી, ધોળાવીરા, પરસોલી અને બગોદરા ખાતે હવાઈ પટ્ટીઓ માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયામાં છે. દહેજ અને પાલિતાણા ખાતે હવાઈ પટ્ટીઓ માટે પ્રી-ફિઝિબિલિટી અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. વણોદ (બેચરાજી), અંકલેશ્વર અને રાજપીપળા એરસ્ટ્રીપ્સ તેમજ રાજકોટના હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ માટે કામ ચાલી રહ્યું છે.

ભરૂચમાં અંકલેશ્વરના અમરતપુરા નજીક એર સ્ટ્રીપનું કામ હાલ તેજ બનાવ્યું છે. જેને લઈ આગામી સમયમાં જિલ્લાના આયાત નિકાસ કરતા ઉધોગોને ઝડપી પરિવહનની સવલત મળી રહેશે. એવી જ રીતે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ એર સ્ટ્રીપ માટે શકયતા તપાસવા હાલ પ્રિ ફિઝિબિલિટી અભ્યાસ થઈ રહ્યો છે. તો નર્મદા જિલ્લાના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને લઈ અહીં પણ હવાઈ પટ્ટીના નિર્માણનું કામ પ્રગતિમાં છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version