Published By : Disha PJB
સુરતમાં નવયુવાનો નાની-નાની વાતોએ આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખતે શહેરના અલગ-અલગ જગ્યાઓ ઉપર બે આપઘાતની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં પોલીસે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જેમાં પહેલું આપઘાત 17 વર્ષીય કિશોરીએ કર્યું છે. તો બીજું આપઘાત 18 વર્ષીય યુવકે કર્યો છે. બંને યુવક અને કિશોરીએ પોતાના જ ઘરમાં એકલતાનો લાભ લઈને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જેમાં પ્રથમ ઘટના ભેસ્તાન વિસ્તારની છે જ્યાં 17 વર્ષીય કિશોરી જે B.COMના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જેણે ગઈકાલે રાતે કોઈક કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
તો બીજી ઘટના ભટાર વિસ્તારમાં આવેલ ભારતીય સોસાયટીમાં રહેતો 18 વર્ષીય યુવક જે ટાઇલ્સના શો રૂમમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. તેણે પણ પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આ યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોય તેવું અનુમાન છે.
બંને ઘટના અંગે આપઘાત અંગેનો ગુન્હો નોંધી સુરત પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
ઇનપુટ: જયેન્દ્ર પાંડે, સુરત.