Published by : Rana Kajal
- રજુઆત કરવા આવેલા વાલીઓને સંચાલકો મળ્યા જ નહીં અને પોલીસ બોલાવી
- ચાર કલાક સુધી વાલીઓએ બહાર જ ઉભા રહી પોલીસ અને સિક્યોરીટી સમક્ષ બળાપો ઠાલવ્યો
અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી એકેડમી સ્કૂલની ફી મુદ્દે ફરી તાનશાહી સામે આવી છે.
રાજ્યની ફી રેગ્યુલેશન કમિટીએ નિર્ધારિત કરેલી ફી ની અંકલેશ્વરની ચંદ્ર બાલા મોદી એકેડમી અવગણના કરી રહી છે. ફી ના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

નવું શિક્ષણ સત્ર શરૂ થતાં સી.એમ. એકડમીએ ફરી ફી વધારા મામલે અડીખમ રહેતા મંગળવારે શાળા ખાતે વાલીઓ રજુઆત કરવા પોહચ્યા હતા.
જોકે મેનેજમેન્ટે વાલીઓને સિક્યોરીટી ગાર્ડ દ્વારા અટકાવી દીધા હતા અને મળવાની કે તેમની રજુઆત સાંભળવાની તસ્દી પણ લીધી ન હતી. વધુ વાલીઓ ભેગા થઈ જતા સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવતા વાલીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
વાલીઓ 4 કલાક સુધી ટ્રસ્ટીઓ અને સંચાલકોની સ્કૂલ પરિસર અને ગેટ બહાર રાહ જોતા રહ્યા હતા પણ પોલીસ દ્વારા પણ તેમને અટકાવી રાખતા આ નિતીનો વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.