Home Ankleshwar અંદાડા ગામની હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

અંદાડા ગામની હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

0

અંકલેશ્વરના અંદાડા ગામના વઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસીડેન્સીના મકાન નંબર-૨૩૬માં રહેતા અજય રામ રાજપૂત ગત તારીખ-૧૫મી ઓગસ્ટના રોજ તેઓના માતાના ઓપરેશન માટે વડોદરા ખાતે મકાન બંધ કરી પરિવારજનો સાથે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ તેઓના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૬૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version