Home News Update Health અડદની દાળમાં રહેલા છે અઢળક ગુણો ! જાણો તેને કંઈ રીતે ઉપયોગ...

અડદની દાળમાં રહેલા છે અઢળક ગુણો ! જાણો તેને કંઈ રીતે ઉપયોગ કરશો ?

0

Published By : Disha PJB

ભારતીય ઘરોમાં અડદની દાળના સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેને ફોતરાવાળી દાળ પણ કહેવામાં આવે છે. તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, આ સાથે જ તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક હોય છે. એટલું જ નહીં આ દાળને આયુર્વેદિક દવાઓના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

તેના આયુર્વેદિક નામ ‘માશા’ છે. અડદની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, ફેટ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન બી, કેલ્સિયમ, મેગ્નિશિયમ અને પોટેશિયમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણથી આ દાળ ગર્ભવતી મહિલાઓ માટે એક હેલ્થ પેકેજની માફક કામ કરે છે. ચાલો તમને અડદની દાળથી થતા ફાયદા અંગે જણાવીએ. 

અડદની દાળને કોઇપણ રુપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નક્સીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે ચાલો અડદની દાળના ફાયદા વિશે જાણીએ.

– રાત્રે નવટાંક અડદની દાળને પલાળી દો. સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવાથી હદ્ય અને મગજને લાભ મળશે.

– અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવવાથી માથાના ટાલ પર ફાયદો થશે.

– જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઇ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજીવાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઇ જશે.

– જો હિંચકી બંધ જ થઇ રહી હોય તો આખી અડધની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સુંઘવાથી હિંચકી ઠીક થઇ જશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version