હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથની પ્રતિષ્ઠા પર અને આર્થિક પરિસ્થિતી પર અસર પડી રહી છે ત્યારે અદાણી જૂથે હિડન બર્ગના રિપોર્ટને ભારત પરના હૂમલા સમાન ગણાવ્યું છે.ગત રોજ તા 29 જાન્યુઆરીના રવિવારે અદાણી સમૂહે અમેરિકી ફોરેન્સિક ફાયનેશિયલ કંપની હીડનબર્ગ દ્વારા કરાયેલ નાણાકીય અનિયમિતતા અંગે લગાડેલ આરોપો સામે અદાણી જૂથે પોતાનો 413 પાનાનો જવાબ આપ્યો છે. અત્રે નોંધવું રહ્યું કે હીડનબર્ગનો રિપોર્ટ હાલમા 25જાન્યુઆરીએ આપવામા આવ્યો હતો. ત્યારથીજ અદાણી જૂથના શેરના ભાવ નીચે ઉતરવા માંડ્યા હતા. ઍક ગણતરી મુજબ હિડનબર્ગના રીપોર્ટ આવ્યા બાદ અદાણી જૂથની કંપનીઓના શેરમા ભારે ગીરાવટ જણાઈ રહી છે. અત્યાર સુધી અદાણી જૂથને ચાર લાખ કરોડ રૂપિયાનું નુક્શાન થયું છે.