Home Ahmedabad અમદાવાદ થી મુંબઈ વચ્ચે દોડતી તેજસનાં ડબ્બાની ખરાબ હાલત…

અમદાવાદ થી મુંબઈ વચ્ચે દોડતી તેજસનાં ડબ્બાની ખરાબ હાલત…

0

રેલ્વે તંત્ર માટે મહત્વની ઍવી તેજસ ટ્રેનના ડબ્બાઓની ખરાબ હાલતના પગલે IRCTCએ તેજસ ટ્રેન ચલાવવા માટે વંદે ભારતનાં ડબ્બાની માંગ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ખુબ ઓછા સમયમાં કોર્પોરેટ ટ્રેન તરીકે ખ્યાતી પામી છે ત્યારે હાલ તેજસ ટ્રેનના ડબ્બાની ખરાબ હાલતના પગલે ના છૂટકે  આ કોર્પોરેટ ટ્રેનને દોડાવવા માટે વંદે ભારતનાં ડબ્બા માંગવાની ફરજ પડી છે. તેજસના ખરાબ હાલતના ડબ્બા અંગે જોતાં ડબ્બાઓમાં બાયો ટોયલેટમા ખામી ઉપરાંત એલસીડી સ્ક્રીનમાં ખામી અને કોચમાં પાણી લીકેજ અંગેની સમસ્યાઓ જણાઈ હતી. જે અંગે વિવિઘ સ્તરે ફરિયાદ ઉભી થઈ હતી. રેવન્યુ અને ટ્રાફિકની દ્રષ્ટિએ એટલેકે મુસાફરોની સંખ્યા અને આવકની દ્રષ્ટીએ તેજસ ટ્રેન રેલ્વે તંત્ર માટે ખુબ મહત્વની છે જેથી ઇન્ડિયન રેલ્વે કેટરિંગ ઍન્ડ ટુરિઝમ કોર્પોરેશન આઇઆરસીટીસી એ રેલ્વે બોર્ડ અને પશ્ચિમ રેલ્વે ને પત્ર લખી તેજસ માટે વંદે ભારતનાં ડબ્બા ની માંગણી કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version