Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઆજે બેંગલુરુ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે PM મોદી...

આજે બેંગલુરુ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે PM મોદી…

Published by : Rana Kajal

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલ લગભગ 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે અને આ ટર્મિનલના ગેટ લાઉન્જમાં 5,932 મુસાફરોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં 22 કોન્ટેક્ટ ગેટ, 15 બસ ગેટ અને 17 સિક્યુરિટી ચેક લેન હશે. તે ટર્મિનલ-ઇન-એ-ગાર્ડનના કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવ્યું છે, જ્યાં મુસાફરો આરામદાયક અનુભવ કરશે. બીજી તરફ પીએમ મોદી આજે બેંગલુરુમાં મૈસૂરથી ચેન્નાઈ જતી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. દક્ષિણ ભારતમાં આ પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન હશે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગ્લોરથી ચેન્નાઈ માટે શતાબ્દી એક્સપ્રેસ, બ્રિંદાવન એક્સપ્રેસ અને ચેન્નાઈ મેલ જેવી ઘણી ટ્રેનો છે પણ આ લાઇનમાં સ્પીડ અને સુવિધાઓના સંદર્ભમાં પોતાની રીતે એક અનોખી ટ્રેન હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!