Published By : Parul Patel
આજે બ્રિટન માટે ખાસ અને અનોખો દિવસ છે. 112 વર્ષ પછી બ્રિટનમાં રાજાની તાજપોશીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડી કરશે તેઓ બ્રિટન પહોચી ગયા છે.
આ ભવ્ય કાર્યક્રમ અંગે વિશ્વમાથી 2 હજાર વિશેષ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્ર્મમાં મેનેજમેન્ટની દ્વષ્ટિએ અદભુત કહી શકાય તેવા મુબઈના ડબ્બાવાળાઓએ આ કાર્યક્રમ માટે ખાસ “પુનેરી પાઘડી” અને “ઉપર્ણ” ભેટ સ્વરૂપે મોકલાવેલ છે.