રવિવાર, 9 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે. જેને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમની રાતે એમ માનવામાં આવે છે કે શરદ પૂનમની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. આ સમયગાળા દરમિયાન લક્ષ્મી દેવી સૌને પૂછે છે કે ‘કો જાગૃતિ’ એટલે કે કોણ જાગી રહ્યું છે? આ કારણે શરદ પૂનમને કોજાગર પૂનમ પણ કહેવામાં આવે છે.શરદ પૂનમની રાતે ચંદ્રનો પ્રકાશ ઔષધીય ગુણોથી ભરપૂર રહે છે. જે ચંદ્રનો પ્રકાશ માનવીયોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણે પૂનમની રાતે ઘરની બહાર ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવવાની પરંપરા છે. ઘરની બહાર ખીર બનાવવાથી ચંદ્રના કિરણો ખીર ઉપર પડે છે, જેનાથી ખીરમાં ઔષધીય ગુણ ભરી જાય છે.
શરદ પૂનમની રાતે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે, કેમ કે દેવી પૃથ્વીનું ભ્રમણ કરે છે. તેથી જ આખી રાત જાગીને પૂજા પાઠ અને મંત્ર જાપ કરતા રહેવું જોઈએ અને ઘરની અંદર તેમજ બહાર દીવો પ્રગટાવવો જોઈએ. એમ પણ કહેવાય છે કે મંત્રજાપ ઓછામાં ઓછા 108 વાર કરવા જોઈએ કે જે જાપ માટે કમળના ગટ્ટાની માળાનો ઉપયોગ કરવો જોઈએ. માતા લક્ષ્મીનો મંત્ર ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ.