Home Earth ઈસરોએ ઈતિહાસ રચ્યો…પૃથ્વીની દેખરેખ માટે EOS-08નું સફળ પ્રક્ષેપણ કરાયું

ઈસરોએ ઈતિહાસ રચ્યો…પૃથ્વીની દેખરેખ માટે EOS-08નું સફળ પ્રક્ષેપણ કરાયું

0
  • ઉપગ્રહ કુદરતી આપત્તિ પર નજર રાખી સચેત કરશે

Published By : Aarti Machhi

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે SSLV D3 EOS-8 સફળતાપૂર્વકને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટની અંદર નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ પૃથ્વી પર નજર રાખશે. EOS-08 ત્રણ પેલોડ ધરાવે છે. એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT, એક પેસેન્જર સેટેલાઇટ પણ રોકેટ સાથે મોકલવામાં આવ્યો છે. બંને ઉપગ્રહો પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે.

SSLV-D3-EOS-08 મિશનમાં લઈ જવામાં આવેલા ઉપગ્રહોનું વજન 175.5 કિલો છે. EOS-08 મિશનના ઉદ્દેશ્યમાં માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકસિત કરવાનો છે. EOS-08માં ત્રણ પેલોડ છે જેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેકટોમેટ્રી પેલોડ (GNSS-R) અને SiC UV ડોસીમીટરનો સમાવેશ થાય છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-16-at-11.55.30.mp4

EOIR પેલોડ સેટેલાઇટ આધારિત સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ વગેરે માટે ફોટો મેળવવા માટે બનાવવામાં આવ્યું છે. GNSS-R દરિયાની સપાટીના હવાના પૃથ્થકરણ, જમીનમાં ભેજનો અંદાજ, પૂર વગેરે માટે રિમોટ સેન્સિંગ ક્ષમતાઓનું નિદર્શન કરશે. SIC યુવી ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે. SIC યુવી ડોસિમીટર ગગનયાન મિશનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનું નિરીક્ષણ કરશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version