Published By : Parul Patel
ઉત્તર પ્રદેશની યોગી સરકાર એક પછી એક નોધપાત્ર નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો કે સ્કુલમાં મુઘલોનો ઇતિહાસ ભણાવવામાં આવશે નહીં.
ઉત્તર પ્રદેશની સરકારે સ્કુલના અભ્યાસક્રમમાંથી મુઘલોના ઇતિહાસને હટાવી કાઢતા હવે સ્કુલોમાં મુઘલ ઇતિહાસ ભણાવવામાં નહી આવે. જે અંગે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે ઇતિહાસના પુસ્તક “ભારતીય ઇતિહાસ કે કુછ વિષય દ્વિતીય” માંથી મુઘલ શાસક અને દરબારના પાઠ દુર કરવામાં આવ્યા છે. તેમજ ધો.11ના પાઠ્ય પુસ્તકમાંથી ઇસ્લામના ઉદય, ધો.12ની ઇતિહાસની પુસ્તકમાંથી અકબર નામા અને બાદશાહ નામાના પાઠને દુર કરવામાં આવ્યા છે.