Published By : Parul Patel
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમા એક ઈન્ટરવ્યુમાં ભારત વિશે ઘણું બધુ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય પીએમને મળવું જોઈએ અને ભારતીય લઘુમતીઓની સુરક્ષા અંગે વાત કરવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે આ તે જ ઓબામા છે, કે જેઓ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે 7 મુસ્લિમ દેશો પર 26171 થી વધુ બોમ્બ ફેંક્યા હતા.
તેમ છતાં, ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે એ જ ઓબામા ભારતને લઘુમતીઓના અધિકારો અને સુરક્ષા પર સલાહ આપી રહ્યા છે.
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અનુસાર, ઓબામા વહીવટીતંત્ર દરમિયાન 2016 માં 26,171 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં સીરિયામાં 12,192 બોમ્બ હુમલા, ઈરાકમાં 12095, અફઘાનિસ્તાનમાં 1337, પાકિસ્તાનમાં 3, લિબિયામાં 496, યમનમાં 35 અને સોમાલિયામાં 14 બોમ્બ હુમલા કરવામાં આવ્યા હતા. જો તમે રોજના આંકડાઓ પર નજર નાખો તો ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે દરરોજ મુસ્લિમ દેશો પર 72 બોમ્બ ફેંક્યા હતા. આમ છતાં મુસ્લિમોની સુરક્ષા પર તેમનું આ રીતે બોલવું ખૂબ જ આશ્ચર્યજનક છે. ઓબામા એ પોતાના કાર્યકાળ દરમિયાન ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં 54 ડ્રોન હુમલાની મંજૂરી આપી હતી. આમાંથી એક હુમલો એવો હતો કે તે કોઈના અંતિમ સંસ્કાર પર પડ્યો અને 41 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા. આ પછી પણ સીઆઈએના 128 ડ્રોન હુમલા થયા જેમાં લગભગ 89 નાગરિકો માર્યા ગયા. આ સિવાય યમનમાં થયેલા હવાઈ હુમલામાં 55 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 21 બાળકો અને 12 ગર્ભવતી મહિલાઓ હતી.