Published by : Vanshika Gor
કચ્છના પ્રવાસન ક્ષેત્રે થયેલ વિકાસને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી….
કચ્છ જિલ્લાએ પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. જેના પગલે હાલમા એમ કહેવાઈ રહ્યું છે કે “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા”
ગુજરાત રાજ્યનો સર્વાગી વિકાસ થઈ રહ્યો છે. પરંતું રાજયના કચ્છ જિલ્લાએ નોધપાત્ર વિકાસ કર્યો છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના વિકાસ અંગે ટ્વીટ કરી ખાસ અભિનંદન આપ્યા છે. તેનુ મુખ્ય કારણ એ છે કે વર્ષ 2001મા વિનાશક ભૂકંપમા કચ્છ જિલ્લામાં ખુબ મોટુ નુકશાન થયું હતું. હવે કચ્છ કયારે બેઠું થશે અને વિકાસ કરશે તે એક મોટો પ્રશ્ન હતો. પરંતું કચ્છના ખમીરવંતા લોકો એ સતત પરિશ્રમ કરતા કચ્છનો વિકાસ શક્ય થઈ શક્યો છે.
ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે કચ્છ જિલ્લાએ આગવો વિકાસ કર્યો છે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અભીનંદન પાઠવ્યા છે. રેતાળ પ્રદેશ હોવા છતાં પ્રવાસ ઉપરાત અન્ય ક્ષેત્રો માં પણ કચ્છના સાહસિકોએ સતત પરિશ્રમ કરી વિકાસ કર્યો છે. એટલુજ નહીં પરંતુ પ્રવાસ સાથે સંકળાયેલા ઘણા ધંધા રોજગાર કચ્છ જિલ્લામા વિકસી રહ્યા છે