મળતી માહિતી મુજબ જીપમાં સવાર તમામ મુસાફરો વાર્ષિક મેળામાં ભાગ લેવા માટે સાવદત્તીના રેણુકા-યલ્લમ્મા મંદિર જઈ રહ્યા હતા. રામદુર્ગ તાલુકાના ચિંચનુર ગામમાં વિઠ્ઠલ-રુકમાઈ મંદિર પાસે ડ્રાઈવરે જીપ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જીપ ઝાડ સાથે અથડાઈ હતી અને દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે જણાવ્યું કે તમામ મુસાફરો રામદુર્ગ તાલુકાના હુલકુંડ ગામના રહેવાસી હતા અને માલસામાન વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા.
કર્ણાટકમાં જીપ ઝાડ સાથે અથડાઇ જતા અકસ્માત…. 6ના મોત તો 16 ઇજાગ્રસ્ત….
RELATED ARTICLES




