Published by : Rana Kajal
નસીબના ખેલ પણ અનેરા હોય છે જેમકે જેની માલિકીની જમીનમાંથી હીરા નીકળતા હોય તેવી જમીનનો માલિકએ જ જમીન પર કાળી મજૂરી કરી ખેતી કરતો હોય…દેશના છત્તીસગઢ રાજયના ગરિયાબંધ વિસ્તારમાંથી હીરા મળી આવવાની ધટના બની હતી. વર્ષો પહેલા હીરા મળી આવ્યા હતા તેથી સરકારે આ વિસ્તાર હસ્તગત કરી લીધો. જમીનના માલિક એવા ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું આ ગરિયાબંધ વિસ્તાર રાયપુરથી આશરે 200 કિલોમીટર દુર આવેલ છે. હાલમાં આ વિસ્તારમાં ઘણા લોકો ખેત મજૂરી કરી રહ્યા છે નવાઈની વાત તો એ છે કે જે જમીનમાંથી હીરા મળી આવ્યા હતા. તે જમીનના વારસદારો હાલ મજૂરી કરી રહ્યા છે