Home Bharuch કેનેડામાં વસવાટ કરતાં ભરૂચ જિલ્લાના લોકો અને રાજયના લોકોની આર્થિક તકલીફોમાં વધારો…

કેનેડામાં વસવાટ કરતાં ભરૂચ જિલ્લાના લોકો અને રાજયના લોકોની આર્થિક તકલીફોમાં વધારો…

0

Published By : Patel Shital

  • દિન પ્રતિદિન કેનેડામાં વધતી જતી મોંઘવારીના પગલે જીવન નિર્વાહ ખર્ચ વધ્યો…

ભરૂચ જિલ્લાના યુવાનો સહિત રાજ્યના યુવાનો અને લોકો કેનેડામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોતા હોય છે. પરંતું હવે આવા લોકોએ કેનેડા જવું કે નહી તે અંગે ફેર વિચાર કરવાનો સમય આવી ગયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે કેનેડામાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. તેથી જીવન નિર્વાહ ખર્ચ વધ્યો છે.

ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો કેનેડા જવાની અને ત્યાં સ્થાયી થયા અંગેની યોજના બનાવી રહ્યા છે. પરંતું આવા લોકો માટે “થોભો અને રાહ જુઓ” ની પરિસ્થિતિ સર્જાઈ છે. તેનુ મુખ્ય કારણ કેનેડામાં વધતી જતી મોંઘવારી છે. દૂધ, શાકભાજી થી માંડીને લોટ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓમાં ભાવ વધારો છે. અગાઉ જીવન નિર્વાહ ખર્ચ માસિક 600 ડોલર આવતો હતો તે હવે વધીને 1000 ડોલર થઈ ગયો છે. તેમજ રોજગારીની તકો પણ ઘટી ગઇ છે. આવી પરિસ્થિતિમાં કેનેડામાં સ્થાયી થવા ઈચ્છનારાઓ એ ફેરવિચારણા કરવી રહી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version