Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateકેન્દ્ર સરકાર 6 ખનીજ ખાણોની હરાજી કરવાની તૈયારીમાં…

કેન્દ્ર સરકાર 6 ખનીજ ખાણોની હરાજી કરવાની તૈયારીમાં…

Published by : Anu Shukla

  • સીસું, નિકલ, કોબાલ્ટ અને કોપર ધરાવતી ખાણની પણ થઈ શકે છે હરાજી
  • કર્ણાટકમાં ચૂનાના પત્થરની ખાણોની હરાજી પણ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીમાં 4 કાચા લોખંડની ખાણો સહિત કુલ 6 ખનિજ ખાણોની હરાજી કરી શકે છે. આ નિર્ણયથી દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ખાણકામ ક્ષેત્રના યોગદાનથી વેગ મળશે.

આ 6 ખાણોની હરાજીની તૈયારી

છત્તીસગઢમાં આવેલી 4 કાચા લોખંડ એટલે કે આયર્ન ઓરની ખાણોની મંગળવારે હરાજી થઈ શકે છે. મંત્રાલયે ગત વર્ષે ચિતપુરી બી આયર્ન ઓર બ્લોક, ગોમટર-વકેલી, બીજાપુર, હહલદ્દી, ઉત્તર બસ્તર કાંકેર, લોહાટર, ઉત્તર બસ્તર કાંકેર ખાણની હરાજી માટે ટેન્ડરો આમંત્રિત કરતી નોટિસ જારી કરી હતી.

બાંડિયામોટ્ટુ ખાણમાં સીસું અને સંબંધિત ખનિજો

ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશની બાંડિયામોટ્ટુ ખાણની પણ હરાજી થઈ શકે છે. ખાણમાં સીસું અને સંબંધિત ખનિજો જેમ કે નિકલ, કોબાલ્ટ અને કોપરનો સમાવેશ થાય છે. ટેન્ડરો આમંત્રિત કરતી નોટિસ ગયા વર્ષે ડિસેમ્બરમાં જારી કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે કર્ણાટકમાં ચૂનાના પત્થરની ખાણોની હરાજી પણ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!