Published by: Rana kajal
ફળોના રાજા ગણાતી કેરીનું બજારમાં આગમન થયું અને એ સાથે જ અમદાવાદના ફ્રૂટ બજારમાં કેરીઓએ સ્થાન જમાવી લીધું છે.કેરી ખાવાના રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદના ફ્રૂટ બજારમાં કેરીનું આગમન થઈ ગયું છે. જે લોકો કેરી ખાવાના રસિયા છે તેઓ હવે કેરીનો આનંદ માણી શકે છે.
આંબા કેરીનો મોરથી ઝુલવા લાગ્યા છે. ત્યારે બીજા રાજ્યો માંથી બીજી કેરી ની આવક શરૂ થઇ ગઇ છે. અમદાવાદ ના બજાર માં કેરળ ની આફૂસ અને રત્નાગીરી નું આગમન થયું છે. જેનો ભાવ આસમાને, 1000 રૂપિયાની ડઝન મળે છે. આમ જોવા જઈએ તો 15 થી 20 દિવસ મોડી છે.વેપારીઓનું માનવું છે કે કેરળ થી આવતી કેરીઓ 10% જ આવે છે
જેમ બજારમા કેરીની આવક વધશે તે પ્રમાણે કેરીના ભાવમાં પણ ઘટાડો થશે.જેમ જેમ ઉનાળો જામતો જશે તેમ તેમ આંબા પર કેરી નું આગમન થશે.