Published By : Patel Shital
- પૂંચના શહીદોને સર્વ ધર્મના લોકોએ શ્રદ્ધંજલિ પાઠવી…
તાજેતરમાં પૂંચ પાસે એક આતંકવાદી હુંમલાના બનાવમાં 5 જવાનો શહીદ થયા હતા. જેમને શ્રદ્ધંજલિ અર્પણ કરવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હિંદુ, મુસ્લીમ, શીખો સહિતના તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે જે ટ્રક પર આંતકવાદીઓએ હુમલો કર્યો તે ટ્રકમાં ઈફ્તારપાર્ટીનો સામાન લઈ જવાતો હતો. હાલ તપાસ કરતી એજન્સીએ આ હુમલાની તપાસ અંગે 40 લોકોની અટકાયત કરી છે. NIA દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના બે પુત્રોની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે પુંચ જેવા વિસ્તારમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થતી હોવાના કારણે આ વિસ્તારને અન્ય વિસ્તારો કરતા શાંત વિસ્તાર માનવામાં આવતો હતો. તેવામાં આ ધટના બનતા હવે આતંકવાદીઓ શાંત થઈ ગયેલા વિસ્તારોને ફરી અશાંત કરવા માંગતા હોય તેમ જણાઈ રહ્યું છે.