Home Festival ગુજરાતના ગરબાની ખ્યાતી સાત સમંદર પાર પહોંચી…

ગુજરાતના ગરબાની ખ્યાતી સાત સમંદર પાર પહોંચી…

0
  • વડોદરાના ગરબા 59 દેશોના રાજદૂતો અને હાઈ કમિશ્નરો નિહાળશે….

વડોદરા

ગરબા એ ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ બની ગઇ છે. ત્યારે હવે ગરબાની ખ્યાતી દેશનાં સીમાડા વટાવી પરદેશ સુઘી પહોચી ગઈ છે. જયારે પણ કોઇ પરદેશથી નવરાત્રીના દિવસો દરમિયાન ગુજરાતમાં આવે ત્યારે તે ગરબા નિહાળવાનું અને કેટલીક વાર તો ગરબામાં ઘુમવા અંગેની તક લઈ જ લેતા હોય છે. તેવામાં આવનાર શનિવાર એટલે કે તા 1લી ઓકટોબરના રોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે 59 દેશોના રાજદૂતો અને હાઈ કમિશ્નરો ગરબા નિહાળશે તેવી માહીતી પ્રાપ્ત થઈ રહી છે. આ અંગે મળતી માહીતી મુજબ તા 1ઓક્ટોબરના રોજ વિવિઘ દેશોના રાજદૂતો જેમાં રશિયા, રોમાનિયા, ઉચબેકીસ્તાન , સાઉથ આફ્રિકા, વેનેઝુએલા, મેકિસકો, ઇંડોનેશિયા, ઇજિપ્ત, તાંઝાનિયા, સહીતના દેશોના રાજદૂતો સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. મળતી માહીતી મુજબ રાજદૂતો ગરબાની આગવી ખ્યાતી અને પ્રસિદ્ધિ જાણી વડોદરા ખાતે આવી રહ્યાં છે. જૉકે રાજદૂતો ક્યાં ગરબા નિહાળશે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આવનારા રાજદૂતો વિશ્વ વિખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લેશે તે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાજદૂતો અને અન્ય મહેમાનો જે વૈભવી હોટલમાં રોકવાના છે ત્યાં મહેમાનોને ગુજરાતી થાળીનો ટેસ્ટનો પણ આનંદ માણી શકશે ત્યાર બાદ રાજદૂતો એકતા નગર ખાતે નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે એમ જાણવા મળી રહ્યું છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version