Home News Update My Gujarat ગુજરાતના બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા…ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ…

ગુજરાતના બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા…ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ…

0

Published by: Rana kajal 

ગુજરાત રાજ્યના નાણામંત્રીએ આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ પક્ષની પહેલી પ્રિતિક્રિયા સામે આવી હતી. વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ છે. નવી ચૂંટાયેલી ભાજપ સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેના પર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે રાજ્યમાં 156 સીટો ધરાવતી સરકાર બની છે ત્યારે અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યુ ન હતું. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે ખેડૂતોને જે આશા હતી કે તેમની આવક બમણી થશે પણ આ બજેટમાં તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ થઈ જશે. આ ઉપરાંત ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની પણ કોઈ જોગવાઈ નથી. ગુજરાતના યુવાનોને નવી ભરતી અને રોજગારની અપેક્ષા હતી પણ સરકારે કોઈ આયોજન કે રોજગાર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી તેમ તેણે જણાવ્યુ હતું. રાજ્યમાં વધી રહેલી મોંધવારી મુદ્દે અમિત ચાવડાએ કહ્યુ હતું કે રાજ્યના બજેટમાં મોંધવારી ઘટાડવા માટે કોઈપણ જોગવાઈ નથી એટલે મધ્યમ વર્ગને આ બજેટથી નિરાશા અનુભવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version