Published by : Rana Kajal
રાજ્યમાં કોરોનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લ ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં 20,700થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 19 માર્ચ 2020 પછી રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ કોરોનાના શૂન્ય કેસ હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 થઈ હતી. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ પણ થયું નથી.




