Published by : Rana Kajal
પક્ષીઓ પોતાના અને બચ્ચા માટે અલગ અલગ જગ્યાએ માળો બાંધતા હોય છે. પરંતુ કેટલાક પક્ષી એવા હોય છે જે માળો ઘરની અંદર બાંધે છે. ઘરના કોઈ ખૂણામાં જ્યારે પક્ષી માળો બનાવે છે તો તેનાથી ઘર ગંદુ થાય છે. તેથી મોટાભાગના લોકો પક્ષીઓને ઘરમાં ઘૂસવા દેતા નથી અને જો તે માળો બનાવે તો તેને પણ હટાવી દે છે.
પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પક્ષીઓ જો તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે ? આ પક્ષીઓનો માળો ઘરમાંથી ક્યારેય દૂર કરવો નહીં. ઘરમાં પક્ષીનું આવવું અને માળો બનાવવું ધન, સમૃદ્ધિના આગમનનો સંકેત હોય છે. આજે તમને જણાવીએ કે ઘરમાં કયા પક્ષીઓ માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે.
ચકલીનો માળો – જો ચકલી તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે. ચકલીનો માળો સકારાત્મકતા નું સૂચક છે તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં જ સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થશે.
મરઘી – જો અચાનક તમારા ઘર માં મરઘી આવે અને પોતાના ઈંડા મૂકે તો તે પણ સકારાત્મક સંકેત છે તેનાથી ભાગ્ય ચમકે છે અને જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.
કીડી – જો તમારા ઘરમાં થી અચાનક કાળી કીડી નીકળવા લાગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં આવેલા સંકટ દૂર થશે. જોકે ઘરમાં લાલ કીડી નીકળે તેને અશુભ માનવામાં આવે છે.
આ પક્ષીઓ માળો બનાવે તો અશુભ માનવામાં આવે છે.
મધમાખી – જો ઘરની આસપાસ મધમાખી મધપૂડો બનાવે તો તેને અશુભ માનવામાં આવે છે તે સંકેત હોય છે કે તમારા ઘરમાં દુર્ઘટના થઈ શકે છે.
ચામાચીડિયું – જો કોઈ ઘરમાં અચાનક ચામાચીડિયું વધારે આવે અથવા તો રહેવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર આર્થિક સંકટ વધે છે.
કબુતર – કબુતર જો તમારા ઘરમાં માળો બનાવે તો તેને પણ અશુભ માનવામાં આવે છે.