Published By : Parul Patel
દેશમાં ટેલનોલોજી જયારે આવિષ્કાર ન હતો, ત્યારે ગામડાના લોકો, આપણા જુના ઘડવૈયા ખેતી માટે વરસાદ અંગે અનેક રીતે અનુમાન લગાવતા હતા. આજે પણ કહેવાય છે કે ટીટોડી (એક પક્ષી)ના ઈંડા ઝાડ ઉપર અથવા નીચે જમીન મૂકે છે અને લોકો અનુમાન લગાવે છે કે વરસાદ કેવો હશે…એજ રીતે હજી પણ અનેક ગામડાઓમાં આવી કેટલીક પરંપરાઓ ચાલતી આવે છે. આવોજ એક નુસખો કહો કે પરંપરા જામનગરના આમરા ગામમાં લોકો પરંપરાગત રીતે કરે છે. અષાઢના પ્રથમ અઠવાડિયામાં ટેલનોલોજી અસ્તિત્વમાં ન હતી ત્યારે વરસાદ અંગે લોકો વિવિધ રીતે અનુમાન કરતા,
જામનગરના આમરા ગામમાં લોકો આજે પણ પરંપરાગત રીતે અષાઢના પ્રથમ સોમવારે કુવામાં રોટલો મુકીને રોટલા જે દિશામાં પડે તેનાથી વરસાદની આગાહી કરે છે. આજે ટેકનોલોજીના યુગમાં ભલે હવામાન ખાતાવાળા આગાહી કરતા હોય, પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પધ્ધતિઓથી વરસાદના વરતારો નક્કી કરવામાં આવે છે. આમરા ગામના ખેડૂતો આજે પણ અહીં ગામમાં આવેલા એક કુવામાં બે રોટલાઓ ફેંકી રોટલા જે દિશામાં જાય તેના પરથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. અહીં કોઈ પણ જાતના આયોજન વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામલોકો એકઠા થાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમવારની આગાહીનું જ મહત્વ હોય છે.
આમારા ગામના લોકો રોટલા તૈયાર કરી વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચી જાય છે. ત્યાં જઈને જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવવાનો હોય તે વ્યકિતને સ્નાન કરાવે છે. પછી તે વ્યક્તિ રોટલાને ઉપરથી કુવામાં પધરાવે છે. ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલો કહે કે રોટલો પૂર્વ અથવા ઈશાન દિશામાં જાય તો વર્ષ ખુબ સારું રહે છે, અને આથમણી દિશામાં જાય તો વર્ષ નબળું જવાની સંભાવના રહે છે અને તેઓ માને પણ છે. રોટલાની દિશા જોવા માટે ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહે છે.
ટેક્નોલોજી અને હવામાન વિભાગ ભલે ગમે તેટલા દાવા કરે પણ જે પરંપરાઓ ચાલતી આવી છે, તે આજે પણ ગામડાના લોકો માને પણ છે અને અનુસરે પણ છે.