Published by : Rana Kajal
ભરૂચ જિલ્લા તેમજ રાજયના ખેડુતો માટે આશાનું કિરણ જણાયું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે માવઠાથી પાકને નુકશાન થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે. આ વળતર પ્રતિ હેકટર રૂ 2થી 18 હજાર સુધીનું હોય શકે છે…રાજ્યમાં તેમજ જિલ્લામા વારંવાર થતા માવઠાના પગલે ખેડુતોને પારાવાર નુકશાન ખેતીમાં થયું હતું. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વળતર અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યુ હતું કે માવઠાથી નુકશાન થયું હશે તો પ્રતિ હેકટરે રૂ. 2હજાર થી રૂ 18હજાર સુધીનું વળતર ચૂકવવામાં આવશે જો કે હાલ રાજ્યમાં 24 જિલ્લાઓમાં આ બાબતે સર્વે કરવામા આવી રહયો છે.