Home News Update Nation Update વંદે માતરમ્ ટ્રેન પર વધતા જતા પથ્થરમારાના બનાવો…

વંદે માતરમ્ ટ્રેન પર વધતા જતા પથ્થરમારાના બનાવો…

0

Published By : Patel Shital

  • અત્યાર સુધી 10 બનાવો બન્યા…
  • રેલ્વેની કડક ચેતવણી…
  • સંડોવાયેલાઓને થઈ શકે છે 5 વર્ષની કેદ….

હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાના બનાવો દેશના ઘણા રાજ્યોમાં બની રહ્યા છે. તેથી આવા બનાવો પર નિયંત્રણ લાવવા રેલ્વે એ કડક પગલાં લીધા છે. જો કે સાઉથ સેન્ટ્રલ રેલ્વે (SCR) ના અધિકાર ક્ષેત્ર હેઠળના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ આ વર્ષે અત્યાર સુધીમાં ટ્રેનો પર પથ્થરમારો કરવા બદલ 39 લોકોની ધરપકડ કરી છે. આ તમામ હાલ જેલમાં છે.

SCR એ તાજેતરમાં જણાવ્યું કે છેલ્લા 2 મહિનામાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની 10 ઘટનાઓના સંબંધમાં પકડાયેલા 6 કિશોરો સહિત 10 લોકોની ધરપકડનો પણ સમાવેશ થાય છે. પથ્થરમારાની ઘટનાઓમાં 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાની નોંધ લેતા, SCR એ લોકોને આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવા અપીલ કરી હતી. તેમજ દક્ષિણ મધ્ય રેલ્વે એ જણાવ્યું હતું કે ટ્રેનો પર પથ્થરમારો જેવી પ્રવૃત્તિઓ RPF એક્ટ હેઠળ સજાપાત્ર અપરાધ છે, SCR એ રેલ્વે એક્ટની કલમ 153 હેઠળ અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, જે 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

SCR ના જનરલ મેનેજર અરુણ કુમાર જૈને સામાન્ય જનતાને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતી અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચાડતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવા અપીલ કરી હતી. એક નિવેદનમાં તેમણે વડીલોને તેમના બાળકોને સલાહ આપવા અને તેમની બાલિશ હરકતોના ગંભીર પરિણામો વિશે શિક્ષિત કરવા અપીલ કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version